Read Time:1 Minute, 4 Second
ઉમરગામના ભીલાડ ડહેલી ખાતે રેલવે થાંભલા નં. ૧૫૮/૧૭- ૧૯ની વચ્ચે અપ લાઈન ગેટ નં. ૭૪ થી સંજાણ તરફ રેલવે ટ્રેક ઉપર તા. ૨૦ જૂન ૨૦૨૫ના રોજ સાંજે ૦૬/૨૨ વાગ્યે ઈન્ટરસિટી એક્ષપ્રેસ ટ્રેનની અડફેટે આવી જઈ એક અજાણ્યા ૨૫ થી ૩૦ વર્ષીય યુવકનું મોત નિપજ્યુ હતું. અજાણ્યો મૃતક શરીરે મધ્યમ બાંધો, ઘઉંવર્ણ અને સાડા પાંચ ફૂટ ઉંચાઈ ધરાવે છે. મૃતકે શરીરે કાળા રંગનો પેન્ટ તથા કાળા ગ્રે રંગનો ડિઝાઈન વાળો ફુલ બાયનો શર્ટ પહેર્યો હતો. શરીર પરથી ઓળખના કોઈ નિશાન મળી આવ્યા ન હતા. આ સિવાય ઓળખના પણ કોઈ આધાર પુરાવા મળી આવ્યા ન હતા. જેથી અજાણ્યા મૃતકના વાલી વારસોની કોઈ ભાળ મળે તો ભીલાડ પોલીસ મથકે જાણ કરવા અખબારી યાદીમાં જણાવાયુ છે.

